ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિતે માઇ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.
વડોદરામાં ચૈત્રી નવરાત્રી દરમિયાન આજે દુર્ગાષ્ટમીનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો છે.રણુના તુલજા ભવાની મંદિર ખાતે વહેલી સવારથીજ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા.મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્ર સુદ અષ્ટમી શુક્રવારે રાત્રે 8:13 વાગે પ્રારંભ થઈ ચૂકી છે. જે શનિવારે 5 એપ્રિલના રોજ સાંજે 7: 24 સુધી રહેશે.જેથી ઉદીત તિથિ તરીકે ચૈત્ર સુદ આઠમ શનિવારે માઇ ભક્તો દ્વારા ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી છે.ચૈત્રી નવરાત્રીનો વિશેષ મહિમા રહેલો છે.માઇ ભક્તો આ દિવસે દુર્ગા હવન યજ્ઞ કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

