30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કમલાનગર તળાવને નવજીવન : ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાનું પ્રેરક અભિયાન

વડોદરા :- સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાના અવિરત પ્રયાસોથી આજવા રોડ સ્થિત કમલાનગર તળાવની કાયાપલટ થઈ રહી છે. છેલ્લાં એક વર્ષથી સંસ્થા દ્વારા આ ઐતિહાસિક જળસ્ત્રોતની સફાઈનું બીડું ઝડપવામાં આવ્યું છે, જેણે સ્થાનિકોમાં જાગૃતિની નવી લહેર ફેલાવી છે.

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલું કમલાનગર તળાવ એક સમયે ઉપેક્ષાનો ભોગ બન્યું હતું, પરંતુ હવે ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમાર અને તેમની સમર્પિત ટીમની અથાગ મહેનતથી તળાવની રોનક પાછી ફરી રહી છે.

અવિરત સફાઈનું અભિયાન
સંસ્થા દ્વારા છેલ્લાં એક વર્ષથી સફાઈનું કાર્ય નિયમિત રીતે કરવામાં આવે છે.

દૈનિક સફાઈ :- દરરોજ સવારે સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમાર અને તેમની મુખ્ય ટીમ તળાવની કિનારીઓ અને પાણીમાંના કચરાને દૂર કરીને સફાઈ કરે છે.

રવિવાર મહાઅભિયાન :- દર રવિવારના રોજ સંસ્થાના તમામ કાર્યકર્તાઓ એકઠા થઈને સફાઈનું વ્યાપક અભિયાન ચલાવે છે, જેના કારણે તળાવની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

નગરજનોને નમ્ર અપીલ :- ‘પૂજા સામગ્રી અને કચરો તળાવમાં નાખશો નહીં’

સંસ્થા દ્વારા સફાઈની સાથે સાથે જનજાગૃતિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. કાર્યકર્તાઓ તળાવની સફાઈ દરમિયાન હાજર નગરજનોને મળીને હાથ જોડીને વિનંતી કરે છે કે, કોઈપણ પ્રકારનો કચરો કે પૂજાની સામગ્રી તળાવના પવિત્ર જળમાં નાખવો નહીં.

શ્રી સુનિલભાઈ પરમાર જણાવે છે, “આ તળાવની વર્તમાન સારી પરિસ્થિતિ એ માનવસર્જિત પ્રયાસોનું પરિણામ છે. જે રીતે આપણે તેને બગાડ્યું છે, તેવી જ રીતે આપણે સૌએ ભેગા મળીને તેની યોગ્ય જાળવણી પણ કરવી પડશે. ગંદકી અને પ્રદૂષણથી મુક્ત રાખીને જ આપણે કુદરતી જળ સ્ત્રોતોને આગામી પેઢી માટે સુરક્ષિત રાખી શકીશું.”

સમયની માંગ :- પરંપરામાં સકારાત્મક બદલાવ..

સંસ્થા ભારપૂર્વક જણાવે છે કે સમય સંજોગો પ્રમાણે વર્ષો જૂની પ્રથામાં બદલાવ લાવવો જરૂરી છે. ધાર્મિક પૂજા સામગ્રી અને અન્ય કચરાને તળાવ કે નદીમાં વહાવવાને બદલે, તેના યોગ્ય વિસર્જનની વૈકલ્પિક વ્યવસ્થા અપનાવવી જોઈએ. આવો સકારાત્મક બદલાવ જળ સ્ત્રોતોની પવિત્રતા જાળવવામાં મદદરૂપ થશે.
‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાનો આ પ્રયાસ વડોદરાના અન્ય વિસ્તારો અને સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે, જો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો, ઉપેક્ષિત જળ સ્ત્રોતોને નવજીવન આપી શકાય છે.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહા નગર પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

માનવતાની મહેક: ડભોઈ-તિલકવાડા રોડ પર કરંટ લાગતા ઘાયલ વાનર માટે યુવાન બન્યો દેવદૂત

admin

Leave a Comment