ગીરગઢડા તાલુકાના લુવારીમોલી, નાળીયેરી મોલી, નાના સમઢીયાળા શ્રી ખીજડીયા હનુમાન દાદા તથા સર્વો દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ત્રિવેણી સંગમ મહાયજ્ઞ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નું ફુલહાર તેમજ શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ તરફથી ૧૧૦૦૦ (અગિયાર હજાર) રૂપિયા નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ૧૩-જુનાગઢ લોકસભાના સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોન્ધરા, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિશાલભાઈ વોરા, ઉના શહેર પૂર્વ ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, લખમણભાઈ વાઘ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : ભાલીયા, ઉના

