સાંઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૦૦૪ થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરવામાં આવી છે અને શ્રીજીને અન્નકૂટ ધરવામાં આવ્યો…
મુંબઈ બાદ ઉજવાતો ગણેશ મહોત્સવ વડોદરામાં પણ ખૂબ ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ સાંઈ એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૦૦૪ થી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે સોસાયટીના રહીશો ના સાથ સહકાર થી આ વર્ષે પણ ગણેશજી સ્થાપના કરી છે અને ગણપતિના સ્થાપના ના દસ દિવસ વિવિધ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રોજ અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીને વિવિધ પ્રકારના મિષ્ઠાન મૂકવામાં આવ્યા હતા. અને આજે મહા આરતીનું આયોજન સાથે રમત ગમત નું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં મંડળ ના સભ્ય ધવલ ભાઈ એ જણાવ્યું કે.

