ભારતવર્ષમાં મહાભારત ના રચયતા વેદ ઋષીમુનિ ના જન્મદિવસ ની વેદગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે શિસ્ય ને જ્ઞાન આપનાર ગુરુ ની પૂજા થાય છે વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ ભીમનાથમહાદેવ મંદિર માં સાવલી ને કર્મભૂમિ બનાવી સાવલી પંથકમાં આરોગ્ય શૈક્ષણિક સહિત ના જનહિતાર્થે સર્વાંગી વિકાસ ના પ્રણેતા બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજી નું સમાધિ મંદિર આવેલું છે ત્યાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વ્રારા પ્રતિવર્ષે ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાય છે આજે વહેલી સવાર થી જિલ્લા નગર તાલુકા ના ગુરુભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને ભીમનાથ મહાદેવમંદિરમાં બ્રહ્મલીન ગેબીનાથ દાદા અને પરમપુજ્ય સ્વામીજી ના સમાધિ મંદિર એ પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે સંગીતપ્રચારિણી સભા હોલમાં સંગીત સાથે ભજન અને યજ્ઞ હૉલ માં શ્રધ્ધા પૂર્વક ગુરુપૂજા કરાઈ હતી અને હજ્જારો ગુરુભકતો એ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી

