ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આજે 44મી ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રાનો શહેરના નગરજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક સન્માન કર્યું
વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર જય જગન્નાથ હરે રામા હરે ક્રિષ્ના ના ભજન મંડળી સાથે નીકળી હતી. આ રથયાત્રાનો પ્રારંભ શહેરના ડેપયુટી મેયર ચિરાગ બારોડ પહિંદ વિધિ કરી સોનાના ઝાડુ થી રોડ ની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો મહંતો રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસીઓ સેવકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શિરાનો તથા ફ્રુટ ના પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે 45 ટન જેટલા શીરાની પ્રસાદીનો વિતરણ કરવામાં આવશે. બીજી તરફ ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વિવિધ ભજન મંડળ તથા સામાજિક સંસ્થા જોડાઈ હતી રથમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા શ્રી સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

