વડોદરા માં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની પોલીસ જવાનની હાજરીમાં જ હત્યાનો ચકચારી મામલો સામે આવ્યો હતો. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ બનાવો બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનરે આ મામલે ગંભીર નોંધ લીધી હતી. અને ગુનેગારો પર રહેમનજર રાખતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે પીઆઈ, પીએસઆઈ સહિત 17 કર્મચારીની સાગમટે બદલીઓ કરી દીધી હતી. આ સાથે જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના વહિવટદાર ASI પ્રવિણ સેતાજીને હેડ ક્વાટર મુકી દેવાયા જ્યારે પાણીગેટ થી એચ.એમ.વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટરને કારેલીબાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
previous post

