ડભોઇ વડોદરી ભાગોળ પાસે ચુનીલાલ પાક સોસાયટી નાકે શહેર સુખીયા બાદ થી પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક હઝરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉષૅ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફુલ ચાદર શ્રીફળ ચઢાવી દુવાઓ ગુજારી હતી.
ડભોઇ વડોદરી ભાગોળ પાસે શહેર સુખીયા બાદ થી પ્રખ્યાત અને કોમી એકતા ના પ્રતિક તથા ઐતિહાસિક દરગાહ હજરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઇ શહેર તાલુકા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફ માં હાજરી આપવા ઉમટી પડ્યા હતા.ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ ફુલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. તેમજ તાહીર હુસેન મનસુરી મંડપ વાળા દ્વારા નિયાજ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કે આ પ્રસંગે હજરત સુખીયા પીર દરગાહ ખાતે ઉષૅ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થયા હતા.

