43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિને ગાંધીબાપુને પુષ્પાંજલિ

વડોદરા શહીદ દિવસ તરીકે ઓળખાતા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે 30 જાન્યુઆરીએ ગાંધીજીના બલિદાનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા સેનાનીઓના સ્મરણ સાથે ગાંધીબાપુના વિચારોને આત્મસાત કરવાની અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી, 1948ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું અને આ દિવસે તેમને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેમ છતાં ગાંધીજીના અહિંસા, સત્ય અને શાંતિના વિચાર આજે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીબાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

તરસાલી યુવકના અપહરણ અને મારપીટનો મામલે મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

admin

ડભોઇ તિલકવાડા હાઇવે પર મોતના વણાંક તંત્રની ઘોર બેદરકારી શું કોઈ મોટી હોનારતની રાહ જોવાય છે

admin

વડોદરા શહેરમાં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે ચોથા શનિવારે રોજ સંકલન સમિતિની બેઠક યોજાઈ

admin

Leave a Comment