અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નગર ખાતે શ્રદ્ધાંજલિ અર્પી…
ગુરુવારે અમદાવાદમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અમદાવાદ થી લંડન જતા એર ઇન્ડિયા ની AI171, બોઇંગ 787ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 290 લોકોના મોત નિપજ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ થી અમદાવાદ થી લંડન જવા માટે નિકળેલ એર ઇન્ડિયા ના AI171 , બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેક ઓફના ગણતરીના મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને બી જે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્સિયલ ડોક્ટર્સ અને સ્ટાફ સભ્યો ની હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 230 પેસેન્જર તથા 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો હતા જેમાંથી ફક્ત એક યુવકને બાદ કરતાં તમામનું મૃત્યુ નિપજ્યું હતું સાથે જ રહેણાંક વિસ્તારમાં અન્ય લોકો મળીને આશરે 290 લોકોના મોત નિપજ્યા હતા.આ કરૂણાંતિકા એટલી મોટી બની છે કે સૌ કોઈ દ્રવી ઉઠ્યા છે ત્યારે શુક્રવારે શહેરના ગાંધી નગર ગુહ ખાતે
મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમજ ઘાયલોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિપક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ વધુમાં જણાવ્યું કે…

