પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર મામલે સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે આજે છોટા ઉદેપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પશ્ચિમ બંગાળ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરી કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી.
મોહસીન સુરતી, છોટા ઉદેપુર

