વિસાવદર વિસાવદર કમર તોડ રસ્તાઓથી પ્રજા પરેશાન તંત્ર ઘોર ઊંઘમાં હાલ વિસાવદર ની દરેક શેરી માહોલ્લામાં ખાસ કરી સરદાર પટેલ ચોકથી લઇ માંડાવડ તેમજ અન્ય વિસ્તારોમાં રસ્તાઓ અતિભયંકર બની ગયા છે વૃદ્ધ વડીલો અને બહેનો માટે ટુવિલર લઈ આ રસ્તાઓ ઉપર ચાલવું બહુ મુશ્કેલ બની ગયો છે રસ્તાઓ વચ્ચે મસ્ત મોટા ખાડાઓ ને કારણે રાહદારીઓ પણ આ રસ્તાઓ ઉપર ચાલી શકતા નથી લોકો આખાડાવાળા રસ્તાઓને કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે લોક માગણી થઈ રહી છે કે જલ્દીમાં જલ્દી આ રસ્તાઓ રિપેર કરવામાં આવે હાલ તો રસ્તાઓ ઉપરથી ડબલ સવારી જતા લોકો ખાડાઓને કારણે લપસી પડે છે ભવિષ્યમાં કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં જાણે કે તંત્ર ગોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે તેમ કોઈપણ જવાબદાર વ્યક્તિ આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી જેના કારણે લોકોમાં પણ રોષની લાગણી ઊઠી રહી છે.કોઈ અકસ્માત ના બને તે પહેલા વિસાવદરના આ ખાડા ખવડાવાળા રસ્તા ને રીપેર કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી રહી છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

