NHSRCLના કાયરેક્ટર / વર્કસ પ્રમોદ શર્માએ પત્રકાર પરિષદ યોજી માહિતી પુરી પાડી છે કે, વડોદરામાં પૂર માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી જવાબદાર હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ચકાસણી કરતા તેના ફોટોગ્રાફ જુના હોય લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય થતા અમે સ્પષ્ટતા આપી છે. અને વડોદરા મહાનગર પાલિકા તરફથી પણ આ બાબતે ક્લિનચીટ મળી છે. વડોદરામાં 8 કિલોમીટરના દાયરામાં 50 ટકા નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. વિશ્વામિત્રી ઉપર 40 મીટરના 2 સ્પાનની કામગીરી ચાલી રહી છે.

