વોર્ડ 16 ના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ના ઘરે પોતાના મતવિસ્તાર રોડ પર આવેલી શાંતિનગર એક બે શક્તિનગર હીરાબાનગર ચુનારાવાસ વિશ્વકર્મા નગર તમામ વિસ્તારના 250 જેટલા રહીશોએ રજૂઆત કરી હતી કે છેલ્લા 15 દિવસથી અમારા વિસ્તારમાં ઘર પાસે કેટલા ઇસમો મોટરસાયકલ લઈને આવે છે અને એમના હાથમાં તિસણ હથિયારો સહિતના સાધનો હોય છે અને આવીને અમારા બારણા ખટખટ આવે છે જેથી અમે છેલ્લા 15 દિવસથી ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે જેથી આ પરિસ્થિતિમાંથી જલ્દીથી જલ્દી અમને બહાર લાવવામાં આવે. ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તંત્રને ગુહાર લગાવી હતી કે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક એક્શનને અને કાર્યવાહી કરવી જોઈએ અને સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોની ચકાસણી કરી જલ્દીથી જલ્દી આ વિસ્તારના લોકો પણ મુક્ત થાય તે માટે માંગણી કરી છે.

