વડોદરા કોયલી પાસે આવેલી ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ કેસમાં સમગ્ર મામલે તપાસ કમિટી કામગીરી કરી રહી છે. જે રિપોર્ટ ગ્રામ્ય SDMને સોંપવામાં આવશે. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગેનું કારણ જાણવા ફોરેન્સિક વિભાગની મદદ લેવામા આવી છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં ફોરેન્સિક વિભાગ દ્વારા તપાસ અધિકારીને સુપ્રત કરવામાં આવશે. ત્યાર બાદ ઘટનાનું સાચુ કારણ બહાર આવશે.

