વડોદરાના કરોડિયા રોડ પર લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા સમીર રાજેન્દ્રસિંહ રાણાનો ગોરવાના સોએબ ઈકબાલ રાણા સાથે સંપર્ક થયો હતો. સોએબ ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરતો હતો. સમીરે મક્કા મદીના જવા ઈચ્છા દર્શાવતા બુકિંગ કરાવતાં સમીરના કાકા અને બે દાદીના વિઝા-ટિકિટની નકલ તેણે મોકલી હતી અને રૂપિયા ભરવા કહ્યું હતું. સમીરે રૂપિયા સોએબને આપી દીધા હતા.બાદમાં ટુર કેન્સલ થયાનું સોએબે કહ્યું હતું. ત્યારબાદ બે વાર સોએબે ટુરની તારીખ કહી હતી અને લઇ ગયો ન હતો. સમીરે રૂપિયા પરત માગતા સોએબે ફોન બંધ કરી દીધો હતો.
આ મામલે યાકૂતપૂરામા રહેતા ઇમ્તિયાઝ મલેકે પણ પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં અમારા પરિવારના 16 સભ્યોને ઉમરાહ લઈ જવાના બહાને શોએબે 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.

