વડોદરામાં આવેલ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવરસીટીના ડી.એન.હોલ પાસે વર્ષો જૂનું ઝાડ ધરાશયી થઈ ગયેલ હતું. જેમાં ત્રણ વિધાર્થીઓ ઝાડ નીચે ફસાયા હતા. યુનિવરસિર્ટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ વિધાર્થીઓના બચાવ માટે દોડી આવ્યા હતા. આમ ત્રણેય વિધાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.
જેમાં ઝાડની નીચે પાર્ક કરેલ વિકલોને નાનું મોટું નુકશાન થયું હતું. જે બાદ ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાય હતી.

