અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને લીધી હતી.
આ આકસ્મિક મુલાકાત દરમિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાય હતા. આ ગંભીર બેદરકારીની નોધ લેતા કલેકટરએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે. તેઓની ગંભીર બેદરકારીની સામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી 11 મહિનાની કરાર આધારિત સેવાઓ સમાપ્ત કરી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

