છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા ના સીહોદ ગમે નેશનલ હાઇવે નંબર ૫૬ પર પહેલા તો પુલ બેસી ગયો. ત્યાર બાદ જનતા ડાયવઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ અગાઉ સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદના લીધી ડાયવઝન ધોવાય ગયું હતું. ત્યાર બાદ બેસી ગયેલ પુલ પણ તૂટી ગયો હતો.
જેના પરીણામ રૂપે લોકોને જેતપુર પાવીથી બોડેલી જવા માટે લાંબો ફેરો ફરીને જવાની ફરજ પડી છે. જેના વિરોધમાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેના ભાગ રૂપે થોડા દિવસ પેલા જ કોંગ્રેસ દ્રારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવાના નેતુત્વમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ જ રોજ આમ આદમી પાર્ટી દ્રારા રાધિકાબેન રાઠવાના નેતૃત્વમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી કાર્યકરો સ્થાનિક લોકો સાથે મળીને સીહોદ ઉપર ભેગા થયા હતા અને જેમ હિન્દૂ ધર્મમાં માણસના મુત્યુ થયાબાદ જે રીતે બારમા – તેરમાંની વિધિ આવે છે તેવી જ રીતે સીહોદ પુલ ની પણ વિધિ કરવામાં આવી. જેના ભાગ રૂપે બ્રિજના ફોટા પર ફુલહાર ચઢાવી, ભજન તથા રામ ધૂન ગાયને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ થયો હતો ધરાશય

