રામ નવમીની ઉજવણી માટે વડોદરા શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત, 3,000થી વધુ જવાનો તૈનાત
વડોદરા શહેરમાં રામ નવમીની ઉજવણી થશે અને તેના પરિપ્રક્ષ્યમાં શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરના પોલીસ કમિશનર નરસિંહકુમારના નેતૃત્વમાં 3,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.
શહેરમાં કુલ 33 યાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે અને તે યાત્રાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે દરેક સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એસઆરપીની ટુકડીઓ, ડીસીબી, ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને સાઇબર ક્રાઈમ ટીમો પણ સુરક્ષામાં જોડાશે. ડ્રોન ટેકનોલોજી અને પીસીઆર વાહનો દ્વારા કંટ્રોલ રૂમથી સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવશે. તેમજ ધાબા પોઈન્ટ્સ પર પણ પોલીસની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે.
વડોદરા પોલીસનો હેતુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રામ નવમી ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે.

