વડોદરા શહેરના હરણી મેઇન રોડ સ્થિત હિરાનગર શોપિંગ સેન્ટરમાં શ્રી અરવલ્લી રામદેવ ભકત મંડળ પરિવાર – હીરાનગર ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ અને જ્યોત પાટોત્સવ – ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમમાં અદભૂત ભજનસંધ્યા, દિવ્ય જ્યોત પ્રાગટ્ય, ભવ્ય મહા આરતી અને આત્માને સ્પર્શે તેવી સંતવાણીના સુંદર આયોજન સાથે મહાપ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.
આ મહોત્સવી પ્રસંગે પાવન આશીર્વાદ આપવા પં.પૂ. મહંત શ્રી ગોસ્વામી ધનેશ્વરગીરી મહારાજ (દેવરાજ ગુરુગાદી), સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધી સ્થાનક અને જ્યોત પાટોત્સવના ગાદીપતિ શ્રી ભયજીરામ બાપુ (સાવલી-અહીમા) સહિત ઘણા નામી અને અનામી સંતો પધાર્યા હતા.
આ ભવ્ય અને આલૌકિક મહોત્સવે હજારો ભક્તજનોને એકત્રિત કરીને ભક્તિ અને એકતાનો ઉમંગ ઊભો કર્યો હતો.

