શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે.
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોને નિમણૂક માટેની ગતિવિધિઓ ચાલુ હતી જે અંતર્ગત આજે 90 જેટલા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે 90 જેટલા પરિવારોને પણ રોજગારી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે.જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું.

