છોટાઉદેપુર જિલ્લા ના સરહદી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર ના સબ સેન્ટર મોટી સાઢલી ખાતે “ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ” એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી રોગના દર્દીઓ નું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ રંગપુર મોટી સાઢલી ખાતે મુખય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પોઉલ વસાવા અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેથળ અને દિપક ફાઉંડેશન ના સહયોગ થી એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો..જેમાં ૧૦૫થી વધુ લાભાર્થીઓને ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા, એક્ષરે નિદાન કેમ્પ ની શરૂઆત કરી સાથે આંખ ની પણ તપાસ કરી હતી. સાથે લાભાર્થી ને ગામ માં થી લાવા અને લઈ જવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રરે વ્યવસ્થા કરવામાં આવી.
એક્ષરે નિદાન કેમ્પ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ રંગપુર નાં મેડિકલ ઓફિસર ડો જયેશ રાઠવા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી, સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈવૈદ્ય , સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર ના સુપરવાઇઝર વીકરમભાઈ રાઠવા ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર સાઢલી ના તમામ સી એચ ઓ ,એમપીએચ ડબલું,આશા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

