વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સીતપુર વસાહતના 2 બાળકોને ખાનગી ડોકટર દ્વારા કફ સીરપ અપાતા તબિયત લથડી હતી.
ડભોઈના સિતપુર વાસહતમાં ખાનગી ડોકટર અશ્વિનની ગંભીર બેદરકારી સામે આવી છે. 2 બાળકોને કફ સીરપ આપી હતી.જે બાળકોની તબિયત લથડતા બાળકોના પરિવારે તાત્કાલિક પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરતા આઇસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.જ્યારે બનાવને પગલે ખાનગી હોસ્પિટલ ખાતે જીલ્લા આરોગ્યની ટીમ બાળકોની ખબર લેવા પહોંચી હતી.ખાનગી ડો.અશ્વિન ધરમપુરી ખાતે મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. ખાનગી ડો.અશ્વિનની ગંભીર બેદરકારી સપાટી પર આવતા તંત્ર દોડતું થયું હતું.

