40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ પર સંકટ: અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો ‘ટ્રાફિક જામ’નું કારણ માર્ગની મહત્વતા છતાં બેદરકારીનું ગ્રહણ

ડભોઇ યાત્રાધામ ચાણોદ, કરનાળી અને રાજપીપલા પોઇચા જેવા ધાર્મિક સ્થળોને જોડતો ડભોઇથી શીરોલા સુધીનો મુખ્ય માર્ગ (સ્ટેટ હાઇવે) તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ડભોઇ નજીક બ્રિજ પાસેનો માત્ર અડધો કિલોમીટર જેટલો અત્યંત મહત્વનો રસ્તો હજુ પણ બાકી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે આ ટૂકડો પૂર્ણ ન થતાં, માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહનચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફનો સિંગલ રસ્તો અને સામગ્રીનો ઢગલો: ટ્રાફિકનું મૂળ બાકી રહેલા આ રસ્તાને કારણે, વાહનવ્યવહાર માટે માત્ર એક જ સિંગલ લેન ખુલ્લો છે. આ સંજોગોમાં મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી: અધૂરા કામની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભૂંગળા અને અન્ય બાંધકામ સામગ્રી જેમની તેમ રસ્તા પર મૂકી દેવામાં આવી છે, જેના કારણે બન્ને તરફથી આવતા-જતા વાહનોને એક જ સાંકડી જગ્યામાંથી પસાર થવું પડે છે.ગંભીર ટ્રાફિક જામ: ચાણોદ-કરનાળી-પોઇચા તરફ જતા અને આવતા વાહનોનો સતત પ્રવાહ હોવાથી, આ સિંગલ લેન પર ક્ષણવારમાં જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ક્યારેક તો લાંબા સમય સુધી વાહનચાલકો ફસાયેલા રહે છે.
પ્રજા પરેશાન: કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી ક્યાં ડભોઇ-શીરોલા માર્ગ માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ ધાર્મિક પ્રવાસીઓ માટે પણ ખૂબ મહત્વનો છે. વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ વાહનચાલકો અને સ્થાનિકો તરફથી ઉઠી રહી છે.વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે, “ચોમાસું પૂરું થઈ ગયું છે, તેમ છતાં જો અડધો કિલોમીટરનો રસ્તો પણ સમયસર પૂર્ણ ન થતો હોય, તો આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સૂચવે છે. તેનાથી પણ વિશેષ, સ્ટેટ હાઇવેના અધિકારીઓ કે જેમને આ કામનું નિરીક્ષણ કરવાનું હોય છે, તેમની બેદરકારીના કારણે અંતે તો પ્રજાને જ ભૂખ બનવાનો વારો આવ્યો છે. વાહનચાલકોની તાત્કાલિક માગ:
​સ્થાનિકો અને વાહનચાલકો રાજ્ય સરકાર અને સ્ટેટ હાઇવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માગણી કરી રહ્યા છે:અવરોધો દૂર કરો: બાકી રહેલા રસ્તાના કામની આસપાસ પડેલા મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી તાત્કાલિક હટાવવામાં આવે.કામગીરી પૂર્ણ કરો: કોન્ટ્રાક્ટરને તાકીદ આપી, બાકીનો અડધો કિલોમીટરનો રસ્તો યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવવામાં આવે.ટ્રાફિક મુક્ત માર્ગ: વહેલી તકે માર્ગ ખુલ્લો થવાથી વાહનચાલકોને ટ્રાફિક મુક્ત અને સરળ અવર-જવર મળી શકે.
​જો સત્તાધીશો અને વિભાગો આ મામલે તુરંત પગલાં નહીં લે, તો આવનારા દિવસોમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે અને પ્રજાનો રોષ વધશે, તે નિશ્ચિત છે.

Related posts

સુપ્રીમ કોર્ટના શ્વાન સંબંધિત આદેશ સામે વડોદરામાં શ્વાનપ્રેમીઓ દ્વારા સાયલેન્ટ રેલી યોજાઈ

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણો

admin

ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment