ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી અંતર્ગત જનજાતિય ગૌર રથયાત્રાનું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
આ ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીશ્રી પી સી બરંડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગોસવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા ની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવયાત્રાનું કવાટ ખાતે પરંપરાગત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ટ્રાયફેટ ચેરમેન રામસિંગભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવાંટ ભાજપ આગેવાન વિજયભાઈ રાઠવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગ ગુપ્તા નસવાડી

