Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

બ્રહ્મલીન રાજર્ષિ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રા

લીંબડી શહેરમાં બ્રહ્મલીન રાજર્ષિ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં રાજ રાજેશ્વરી ધામ, જાખણ ખાતે યોજાયેલા ત્રિદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સીધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં ભગવાન લકુલેશજી દ્વારા રાજર્ષિ મુનિને દિવ્ય દર્શન આપી ‘દંડ’ અને ‘બીજોરૂ’ જેવા નિગૂઢ પ્રતિકો પ્રદાન કરાયા હતા. આ પાવન પ્રતીકોના દિવ્ય દર્શન તથા ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે લીંબડી શહેરમાં આ શોભાયાત્રા યોજાઈ હતી.

આગામી 11 ફેબ્રુઆરીએ બ્રહ્મલીન રાજર્ષિ મુનિની જન્મજયંતી નિમિત્તે ત્રિદેવ મંદિર સામે નિર્માણ કરાયેલા મંદિરમાં તેમની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવશે.

શોભાયાત્રામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ક્ષત્રિય સમાજના સહદેવસિંહ રાણા, શંકરલાલ દલવાડી સહિત અનેક અગ્રણીઓ, શહેરના નાગરિકો તથા રાજર્ષિ મુનિના શિષ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ચુડા તાલુકા યુવા મોરચાની ટીમ દ્વારા ચોકડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ

admin

ચુડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં પ્રશ્નોની વણઝાર ચાલી..

admin

સુરેન્દ્રનગરના થાનગઢમાં વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

admin

Leave a Comment