ડભોઈ-સઠોદ રેલ્વે ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ વાહનચાલકો માટે એક ભયાનક જોખમ ઉભું થયું છે બ્રિજ પૂરો થતાં જ રસ્તાની બાજુમાં એક 5 ફૂટ ઊંડો વિશાળ ખાડો જોવા મળી રહ્યો છે જે રસ્તે પસાર થતા સેંકડો વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગયો છે જોખમો રાત્રિના સમયે અકસ્માતનો ભય: બ્રિજ પરથી ઉતરતા વાહનોની ગતિ સામાન્ય રીતે વધુ હોય છે. રાત્રિના અંધારામાં આ ઊંડો ખાડો દેખાતો નથી, જેના કારણે વાહનો સીધા ખાડામાં ખાબકી રહ્યા છે
સુરક્ષા સાધનોનો અભાવ: આટલા જોખમી ખાડા પાસે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના રેડિયમ સાઈન બોર્ડ કે ચેતવણી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા નથી રેલિંગની ગેરહાજરી: ખાડાની આસપાસ સુરક્ષા માટે કોઈ રેલિંગ કે આડશ ન હોવાને કારણે ટુ-વ્હીલર ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે વારંવાર થતી દુર્ઘટનાઓ: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અનેક વાહનચાલકો આ ખાડામાં ઉતરી ગયા છે અને ઈજાગ્રસ્ત થયા છે. તેમ છતાં તંત્ર હજુ પણ નિદ્રાધીન હોય તેવું જણાય છે.
લોકરોષ શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે એવો સવાલ અત્યારે સ્થાનિકો અને રાહદારીઓ ઉઠાવી રહ્યા છે.
તાત્કાલિક માંગણી વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વહેલી તકે આ ખાડાની આસપાસ મજબૂત રેલિંગ બનાવવામાં આવે અને રાત્રે પણ દૂરથી દેખાઈ શકે તેવા રેડિયમ રિફ્લેક્ટર તથા સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આ મોતનો ખાડો કોઈનો જીવ લઈ શકે છેતંત્ર ક્યારે જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના પછી જ રિપેરિંગ કામ હાથ ધરાશે

