Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદે રેતીખનન ખાણ ખનીજ વિભાગ દ્રારા છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડીટેઇન


ચાંદોદ અને કરનાળી બંને તીર્થક્ષેત્રો નો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાન સ્વ.અરુણ જેટલી ના સાંસદ આદર્શ ગામ યોજના ના અનુદાન માંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રીકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે પણ આ બ્રિજ ના નિર્માણ બાદ રેતી માફિયાઓ ને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગેરફાયદે રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફુલ્યો ફાલ્યો છે બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબાગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટ પોસ્ટ ના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છેકે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે શું રેતી માફીયા ઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી ? કે પછી તંત્રનું ભેદી મૌન ? જેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે

Related posts

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ.

admin

વડોદરા-છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી ભાવિક ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદના અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધાર્યા

admin

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા બચાવવામાં આવ્યો

admin

Leave a Comment