અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાંય શિક્ષણ વિભાગ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા લઈ ભીનું સંકેલી રહ્યું છે.
આદિવાસી બાળકો અભ્યાસ કરવા આવે કે શોચાલય સફાઈ કરવા મોટો પ્રશ્ન.
આ વિડિયો જાગ્રુત નાગરિકે વાયરલ કર્યો હોવાનો અનુમાન છે.
આ વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?
આદિવાસી માસૂમ વિધાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે….?
આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે ?
આવા અનેક વાર વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસુબ વિધાર્થીઓ પાસે કામ કરાવે છે
આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

