વાહનોની તોડફોડ બાદ આગચંપી દરોડામાં દેવેન્દ્ર ઉર્ફે દેવો ભાવસિંહ વણઝારા અને અર્જુન પરમાર સ્થળ ઉપરથી ઝડપાયા હતા. હસમુખ ઉર્ફે બાબર વણજારા સહિત 5 આરોપી ફરાર હતા. થોડા દિવસ અગાઉ નજીકમાં જ મહાનગર પાસે દારૂનો અડ્ડો ચલાવતા આતિશ ઠાકોર, શના ઠાકોરનાં અડ્ડે પણ દરોડો પડ્યો હતો. આ દરોડાને પગલે બંને બૂટલેગરોને એક બીજા પર શંકા ગઈ હતી અને પોતાને ત્યાં દરોડા પડવાની બાતમી અન્ય બુટલેગરે આપી હોવાથી બંને બૂટલેગરોનાં જૂથ વચ્ચે વેરઝેર ઉભુ થયું હતું.

