વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ કરી દેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવતા હવે અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર વાહનનું ભારણ વધશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર ગરનાળામાં પાણી ભરાવવાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવામાં નિષ્ફળ રહી છે. આ ઘટના તેની સાબિતી છે

