43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રાવણ કૃષ્ણ પક્ષના પાંચમ નિમિતે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પાંચમ નિમિતે નાગ નાગીન ની પૂજા અર્ચના કરવામાં આવી

નાગ પાંચમ ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ કૃષ્ણ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા આવે છે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવન મહિનો શરૂ થયો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.ઉત્તર ભારતમાં 9 જુલાઈના રોજ નાગ પાંચમનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જાણો ગુજરાતમાં નાગ પાંચમ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ શું છે…નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પ્રતિમાને દૂધ અર્પણ કરવામાં આવે છે. આ સાથે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ દિવસે જીવંત સાપને દૂધ પીવડાવવામાં આવે છે. નાગ પાંચમના દિવસે લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી નાગ દેવતાનું ચિત્ર બનાવે છે અને તેમની પૂજા કરે છે. આ દિવસ શ્રાવણ શુક્લ પક્ષની પાંચમનો દિવસ હતો અને ત્યારથી તેને નાગપાંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરમાં જાય છે અને નાગ દેવતાની પૂજા કરે છે. તેમને દૂધ, ચોખા, ફૂલ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી નાગદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અને ભગતો દ્વારા માનીલી બધા અહી પૂજા કરી બાધા માંથી મુક્ત થાય છે અને ભગતો દ્વારા રૂ ના પૂપડા અને નાગ નાગીન ને કઠોળ માં મગ, મઠિયાં, ધરવામાં આવે છે આજે માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ નાગદેવતા ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી

Related posts

વડોદરાના તાદલજા વિસ્તારમાં ગંદકી-મચ્છરના ત્રાસથી અનોખો વિરોધ

admin

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નડા ગામનો યુવાન જેને અલગ અલગ બેંકોની લોન લીધી હતી જેના ભારણના કારણે જિંદગી ટૂંકાવી

admin

છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

admin

Leave a Comment