Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં એક દિવસિય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 600થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખની સાથે ડીસીએફ વિષ્ણુ દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત આસપાસના ગ્રામજનો વન કર્મીઓ જોડાયા હતા.

Related posts

બોડેલી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે સમૂહ યોગાભ્યાસ કરી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી

admin

સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતાં નારાજગી વ્યાપી

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી રોગ સ્ક્રીનિગ કેમ્પ યોજાયો.

admin

Leave a Comment