દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસને લઈને છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસને લઈને ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજીને એક જ સ્થળેથી લોકોને તમામ લાભો મળે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ યોજીને વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તેજગઢ જુથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત તેજગઢ સહિત આસપાસના ગામોના લોકો અને લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ સાથે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વચ્છતા અભિયાનને લઈને જાગૃતતા આવે તે માટે રેલીનું પ્રસ્થાન પણ મહાનુભાવોએ કરાવ્યું હતું.

