છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ છોટાઉદેપુર દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે શ્રી અંબે માતાજીના મંદિર ચોકભોગ ખાતે સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં એક દિવસિય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 600થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખની સાથે ડીસીએફ વિષ્ણુ દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત આસપાસના ગ્રામજનો વન કર્મીઓ જોડાયા હતા.

