સરપંચ થી લઈને સાંસદ સુધી પહોંચેલા જશુભાઈ રાઠવા એ વડાપ્રધાનના જન્મ દિવસને લઈને શુભેચ્છાઓ પાઠવી,
હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભાજપ મહામંત્રી નું કામ કરતો હતો ત્યારે એમને 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે : જશુભાઈ રાઠવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઇ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવીને એમને અન્ય સમાજની હરોળમાં લાવવાના પ્રયત્નો કર્યા છે : જશુભાઈ રાઠવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા જિલ્લામાંથી 2013માં છોટાઉદેપુર જિલ્લાને અલગ જિલ્લો બનાવીને વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવી છે : જશુભાઈ રાઠવા

