છોટાઉદેપુર જિલ્લામાં સીકલસેલ એનેમીયા એએનસી બહેનોને તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે ઉભી થતી ઇમરજન્સી રક્ત જરુરીયાત વખતે સરળતાથી લોહી મળી રહે તે માટે આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઇ રાઠવા, ડો. જિતેન્દ્ર રાઠવા , એક્સ આર્મી ગોપાલભાઈ રાઠવા,રમલીયાભાઈ રાઠવા,રતુભાઇ સહિત ના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ટુંકા સમયમાં આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિર માં ૩૦ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર નું સફળ આયોજન ડો. કનસિંગ રાઠવા, ડો.જયેશ રાઠવા , શૈલેષ ભાઈ રાઠવા મલાજા,રવીભાઈ ખજુરીયા,મેહુલ ડીમચીયા સિંગલકુવા, આશિષ નહાર ભીખાપુરાસહિત ના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

