ભાદરવા વદ અમાસની તિથિએ ડભોઇ તાલુકાના કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવ ના દર્શનાનર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ પ્રત્યે ભાવિક-ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવે છે શિવ ભક્તોને સંતતિ-સંપત્તિ અને મનોવાંછિત ફળ આપનારા કુબેર દાદા ના અમાસના દર્શનનું પણ ખૂબ આગવું મહત્વ છે
ત્યારે આજે ભાદરવા વદ સર્વ પિતૃ અમાસ તેમજ રવિવારનો દિવસ હોય મધ્યરાત્રીએ ધારાસભ્ય શૈલેષ મહેતા, મંદિરના મહંત શ્રી દિનેશ ગીરીજી મહારાજ, મહંત નંદગીરીજી મહારાજ દ્વારા મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મુક્યા હતા વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં અમાસની તિથિ ને અનુલક્ષી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી મંદિર પધારી કતારમાં ઊભા રહી દાદાના દર્શન સહિત નર્મદા સ્નાનનો લાભ લઇ સર્વ પિતૃ અમાસ નિમિત્તે સદગત પિતૃઓની શાંતિ અને તૃપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે

