ડભોઈ શહેર તેમજ તાલુકા અને સંલગ્ન બીજા તાલુકાઓમાં પણ વેચાણ અર્થે પોહચાડવામાં આવે છે માતાજીના ને ગરબા ની કિંમત ૨૦૦ રૂપિયાથી લઈને શરૂ થતી હોય છે. આ ગરબા ને ની સાથે બે કોળિયા અને એક કુલડી આપવામાં આવે છે આ સાથે જ આ ગરબા ની કિંમત નક્કી કરવામાંઆવેલી હોય છે
ડભોઇના કુંભારવાડામાં રહેતા કુંભાર ભાઈઓની મુલાકાત લેતા તેમને જણાવ્યું કે ૫૦૦ થી ૭૦૦ જેટલા આપણા નગર વ તેમજ તાલુકામાં ગરબા નવરાત્રિ = દરમિયાન વેંચાય છે બાકીના હજારો ઉપરાંત ગરબા બીજા તાલુકામાં 5 વેચાન અર્થે લઇ જવામાં આવે છે વીસ દિવસ પહેલાથી આ ગરબા . બનાવવાનું શરુ કરવામાં આવે છે નવરાત્રી માં માતાજીની આરાધના માટે જરૂરી એવા ગરબાઓ બનાવવા માં અમારા ઘરનો પરિવાર કામે લાગી જાય છે અને એમાંય નવરાત્રીના દિવસો નજીક આવતા જ આ કામગીરી રાત-દિવસ ચાલુ કરી દેવામાં આવે છે કુંભાર ભાઈઓ ગરબા માટીમાંથી તૈયાર કરે છે જ્યારે ઘરના બીજા સભ્યો તેની પર જરૂરી કલરકામ કોતરણી અને સાથિયાની ચિતરામણ કરે છે હજારોની સંખ્યામાં ગરબા દર વર્ષે બનાવવામાં આવતા હોય છે

