સર્પદંશ બાદ સારવાર દરમિયાન ‘સમૃદ્ધિ’ સિંહણે દમ તોડ્યો
વડોદરા શહેરના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાણીસંગ્રહાલયમાં રહેલી ‘સમૃદ્ધિ’ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મુજબ સિંહણને કોબ્રા સાપે દંશ કર્યો હતો, જેના કારણે તેની તબિયત બગડતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, કોબ્રા સાપ સિંહણના પિંજરામાં ઘૂસી ગયો હતો અને ત્યાં સિંહણને દંશ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ઝૂના તબીબી સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં સિંહણનું બચાવ શક્ય બન્યું નહોતું.
આ ઘટનાને લઈ પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ તેમજ પ્રાણીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. સર્પ કેવી રીતે પિંજરામાં પ્રવેશ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ભવિ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.

