શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતીના અવસર પર માંજલપુર મુક્તિધામ પાસે આવેલ શનિ મંદિર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાથે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્મના ફળ દાતા શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતીના અવસર પર ગઈકાલ ન્યાયના દેવતા ભગવાન શનિદેવની જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં મંદિરોમાં ભીડ જોવા મળી હતી જ્યારે માંજલપુર મુક્તિધામ પાસે આવેલ શનિ મંદિર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા સાથે સાથે ભગવાન શ્રી શનિદેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યારે આજે માંજલપુર મુક્તિધામ શ્રી શનિ મંદિર ખાતે હવન અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો

