36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
નવસારીનવસારી જિલ્લો

નસવાડી બીટના નનુપુરા ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાનું ગંભીર ઘટના બની

નસવાડી બીટના નનુપુરા ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાનું ગંભીર ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, આજ સવારે અચાનક જંગલ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આગ ઝડપથી ફેલાતી જતાં વૃક્ષો, ઝાડીઓ અને વન્યજીવનને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગ અને અગ્નિશામક દળની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.
અગ્નિશામક દળ દ્વારા સતત પ્રયત્નો બાદ આગને ભાગ્યે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં ધુમાડો અને નાની આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ગરમી અને સુકાં વાતાવરણને કારણે આગ લાગવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
આ ઘટનાના કારણે પર્યાવરણને મોટું નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને લોકોને જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સ્થાનિક તંત્રે પણ લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ પણ શંકાસ્પદ ઘટના દેખાય તો તરત જ જાણ કરવા વિનંતી કરી છે.

Related posts

નવસારી માં ચેતર વસાવા જેલ માંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું..

admin

Leave a Comment