40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જાંબુઘોડાપંચમહાલ જિલ્લો

બિયરની ખાલી બોટલમાં સાપ ફસાયો

જાંબુઘોડા ઝંડ રાસ્કા રોડ ઉપર ITI પાસે સાપને જાણે બિયર પીવાની લત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા…..પ્રાપ્ત માહીતી મુજબ જાંબુઘોડા ની આવેલી ITI ની નજીક મળી આવ્યો જાણે કે સાપ બિયર પીતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે વાત જાણે એમ છે કે હવે ગુજરાતમાં દારૂબંધી નહિવત થઈ રહી છે ત્યારે રોજમ રોજ પોલીસ પણ પોતાના બાતમીદારો ગોઠવી તેમની પાસેથી અંગત બાતમીઓ મેળવી બાતમી ના આધારે દેશી વિદેશી દારૂ ઉપર અંકુશ લાવવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે જાંબુઘોડા ઝંડ રોડ ઉપર આવેલી આઈ.ટી.આઈ નજીક કોઈ બિયર પીનારાઓ રસિયા દ્વારા બિયરનું ટીન ફેંકી દેવામાં આવ્યુ હશે તેમાં કોઈએ ફેંકી દીધેલા બિયર ના ટીન માં કઈક શિકારની ખોજ માં સાપે શિકાર કરવા માટે સાપે પણ બિયરના ટીનમાં માથું ઘુસાડી દેતા ઉંદર કાઢતા ઊંટ પેઠું જેવી હાલત સાપની થવા પામી હતી જેથી વિગતો જાણે એમ છે કે જાંબુઘોડા થી ઝંડ જવાના રોડ ઉપર આવેલી ITI નજીક કોઈ રાહદારીને બિયરના ટીનમાં ફસાયેલો સાપ જોતા તેને જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના આર એફ ઓ એસ વી રાઉલજી ને જા ણ કરતા તેમને વાઇડ લાઇફ સેન્ચ્યુરીમાં સર્પ મિત્ર તરીકે સેવા આપતાં સર્પ મિત્ર પંકજ ભાઈ પરમાર તેમજ તેમની ટીમને આ બાબતે જાણ કરતા તાત્કાલિક સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ વન્ય પ્રાણી વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં સાપનું માથું બિયરના ટીમમાં ફસાયેલું જોતા તેઓએ તાત્કાલિક સાપનું માથું બિયરના ટીન માંથી કાઢવા ના પ્રયત્નો ચાલુ કર્યા હતા જ્યારે સાપને બિયર ના ટીન માંથી કાઢવા માટે તેઓને લોખંડ કાપવાની એકસો બ્લેડની જરૂર પડતા તેઓએ નજીક માં આવેલી આઈટીઆઈ માંથી એકસો બ્લેડ લઈ મહામુસીબતે એકસો બ્લેડ ની મદદથી બિયર ના ટીનને કાપી બિયરના ટીન માં ફસાયેલા સાપને સહી સલામત બહાર કાઢતા સાપને પણ હાશકારો થયો હોવાનું લાગ્યું હશે જોકે જાંબુઘોડા અભ્યારણ વિસ્તાર હોવાથી અવારનવાર સાપો તેમજ અજગર જેવા જાનવરો નીકળી આવતા હોય છે વન્ય પ્રાણી વિભાગ દ્વારા વન્ય પ્રાણી વિભાગ ની ટીમ સાથે સર્પ મિત્ર પંકજભાઈ પરમાર પણ આ અબોલ જીવોને બચાવવા હંમેશા અગ્રેસર રહે છે ત્યારે આ બિયરના ટીન માં ફસાયેલા સાપને પંકજભાઈ પરમાર એ બિયર ના ટીન માંથી નવુ જીવન આપી મુક્ત કરી સલામત સ્થળે છોડી આવ્યા હોવાનું જાણવા મળે છે

Related posts

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

admin

પંચમહાલ જિલ્લાના જુદા જુદા ૬ તાલુકામાંથી જિલ્લા પુરવઠા અને મામલતદારોની ટીમે ગેરકાયદેસર ઉપયોગ થતા ૧૫૨ જેટલાં ગેસ સિલિન્ડરો પકડયા.

admin

Leave a Comment