જયરામ સેવાની દ્વારા 15 વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે તેમના દ્વારા જરૂરિયાતમંદને માતા વૈષ્ણોદેવીના દર્શન તેમજ અનેક બીજી જગ્યાઓ પર વડોદરા શહેરનાં પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનના મારફતે રવાના થયા હતા.
આખી ટ્રેનને ચૂંદડી અને માતા રાણી ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ટ્રેનને ફૂલો થી શણગારવામાં આવી હતી.તેમના સાથે 1500 થી વધુ જરૂિયાતમંદો ગોલ્ડન ટેમ્પલ જવા ટ્રેન મારફતે રવાના થયા હતા. અને ટ્રેનમાં માતા વૈષ્ણોદેવી ના ભજનો સાથે ધૂન કરવામાં આવી હતી ટ્રેન રવાના થવાના પહેલા ઢોલ નગારા સાથે રવાના થયા.

