Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીમાં રામનવમી નિમિત્તે ABVP દ્વારા રક્તદાન શિબિર, યુવાનોમાં ઉત્સાહ

દેશભરમાં રામનવમીનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં માનવસેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. રામનવમીના આ પાવન અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજપ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. ધાર્મિક તહેવારને સેવા સાથે જોડતી આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.

આ કાર્યક્રમ દ્વારા “માનવ સેવા એ જ પ્રભુ સેવા”નો સંદેશ આપવામાં આવ્યો હતો. રામનવમીના પવિત્ર દિવસે આયોજિત આ રક્તદાન શિબિરથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે

admin

છોટાઉદેપુર વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્યની માંગ

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ નવાપુરા ચોખંડી ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા નાઓની સ્થાપના કરવામાં આવી હતી, સાંસદ જશુભાઇ રાઠવા ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી

admin

Leave a Comment