33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીમાં રામનવમી નિમિત્તે 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રામનવમીના પાવન પર્વે બાપા સીતારામ મઢુલીમાં 20મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત વિશાળ શોભાયાત્રાથી કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધો હતો.

દિવસ દરમિયાન પાટોત્સવ વિધિ, ધજા આરોહણ, હવન તેમજ નવ જોડાઓની હાજરીમાં ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. સાથે જ મહા આરતી અને મહાપ્રસાદના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

ભારે ગરમી હોવા છતાં નસવાડી પોલીસ દ્વારા સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

રાત્રે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું.

આ પાટોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું અનોખું પ્રતિક બની રહ્યો અને ગામમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

Related posts

કવાંટ ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા

admin

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસી વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ ગૌરી વ્રતના વ્રતનું સમાપન દિવાસાના દિવસે પૂર્ણ થાય છે.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment