વડોદરામાં હિન્દવી સ્વરાજના સ્થાપક અને હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ફરી સજીવન થવા જઈ રહ્યું છે ‘જાણતા રાજા’ના માધ્યમથી! નવલખીના વિશાળ મેદાનમાં વિશાળ ફલક પર ‘જાણતા રાજા’નું મહાનાટય ભજવાશે,જેને લઇ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.કલાકારો પણ આ મહાનાટયને અદભુત અને જીવંત બનવવા ખુબ જ પરિશ્રમ કરી રહ્યા છે.આગામી એપ્રિલ મહિનામાં યોજાનારા આ મહાનાટયને લઈ વડોદરાના લોકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સંસ્થાના અગ્રણીએ વડોદરાના લોકોને અપીલ કરી હતી કે,આપ સૌ ‘જાણતા રાજા’ના મહાનાટયમાં જોડાઈ એનો હિસ્સો બનો!
next post

