આખરે આજે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા શરતી જામીન પર મુક્ત થયા હતા,આજે તેઓ લગભગ 75 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.વહેલી સવારથી જેલ બહાર સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા જ સમર્થકો તેમને ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું, હાઈકોર્ટ દ્વારા ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.AAP ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટ કાર્યવાહી સિવાય ડેડીયાપાડા વિસ્તારમાં જઈ શકશે નહિ.

