વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા દુર્ઘટના બન્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે એસયુસીઆઇ દ્વારા પણ આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ વડોદરા જિલ્લા સાંગઠનિક કમિટી મહી નદી પર આવેલ ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટના બની. જેમાં તેર લોકોના મોતથી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપ્યા છતાં આ વાતને ગંભીરતાથી ન લીધી જેના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ ઘટના તંત્ર દ્વારા પોતાના માનીતાને કોન્ટ્રાક્ટ આપવામાં આચરેલ ભ્રષ્ટાચારને પણ ઉઘાડું પાડે છે એક પછી એક જે રીતે ગુજરાત મોડેલમાં હોનારતો થઈ રહી છે તે સરકારની નિષ્ફળતા બતાવે છે.મોરબી, તક્ષશિલા હરણી બોટકાંડ.હજી કેટલા પુલો તુટશે..?હજી કેટલી આગ લાગશે..? હજુ કેટલા લોકોના જીવ હોમાશે સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં છે. એને લઈને એસયુસીઆઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

